પ્રસંગની વિગત

હિંગોરા સમાજવાડીના કોમ્યુનિટી હોલની પાયાવિધિ

તા. 19 સપ્ટેમ્બર 2022ના રોજ વિંઝાણ ખાતે હિંગોરા સમાજવાડીના કોમ્યુનિટી હોલની પાયાવિધિનો મુબારક કાર્યક્રમ સમાજના વડીલો, આગેવાનો અને માનનીય મહેમાનોની હાજરીમાં યોજાયો હતો.

આ પ્રસંગે સૈયદ હાજી અમીનશાહ હાજી અહમદશાહ, સૈયદ હાજી ઉસ્માનશાહ હાજી અહમદશાહ (સાહેબજાદા મુફ્તી-એ-આઝમ કચ્છ), સૈયદ હાજી સલીમશાહ હાજી જહાંગીરશાહ, સૈયદ મોહમ્મદશાહ હાજી મુરાદશાહ, સૈયદ ઇબ્રાહીમશાહ હાજી જહાંગીરશાહ તથા શ્રી સજ્જનસિંહ જાડેજા (સરપંચશ્રી, વિંઝાણ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત તિલાવતે કલામે પાકથી કરવામાં આવી હતી, જેની સાદત મોહમ્મદશાહ સૈયદ (માંડવી)ને પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ શ્રી સજ્જનસિંહ જાડેજા, સૈયદ સલીમબાપુ અને અમીનશાહ બાવા સાહેબે પોતાના મુબારક કલિમાત દ્વારા સમાજને નસિહત અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં સંસ્થાના પ્રમુખ જુણસભાઈ હિંગોરાએ આભારવિધિ રજૂ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંસ્થાના ખજાનચી હુસેન માસ્ટરે કર્યું હતું, જ્યારે કાર્યક્રમનું આયોજન સંસ્થાના મહામંત્રી ખાલિદભાઈ હિંગોરા તથા સમિતિના સભ્યોના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

ઇવેન્ટની તારીખ અને સ્થાન

19 Sep 2022, Mon at હિંગોરા સમાજવાડી, વિંઝાણ

ઇવેન્ટ ગેલેરી