તાલીમ • ઇત્તેહાદ • ખિદમત • તરક્કી
હિંગોરા એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, કચ્છની સ્થાપના સમાજના શૈક્ષણિક, સામાજિક અને કલ્યાણકારી વિકાસના ઉમદા હેતુ સાથે કરવામાં આવી હતી. ટ્રસ્ટની નોંધણી વર્ષ 2017માં મુંબઈ પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 હેઠળ (નોંધણી નં. E-2978 / કચ્છ) કરવામાં આવી છે.
આ ટ્રસ્ટ એક બિન-રાજકીય અને સામાજિક સંસ્થા છે, જે સમાજના શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વર્ગના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સમાજમાં શિક્ષણ, એકતા, સેવા અને પ્રગતિના મૂલ્યોને મજબૂત બનાવવાનું ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય છે.
ટ્રસ્ટની રચના આપણા સન્માનનીય મુફ્તિ-એ-કચ્છ હઝરત અલ્લામા અલ્હાજ સૈયદ હાજી અહમદશાહ હાજી મિયાસાહેબની દુઆઓ, સમાજના વડીલોના માર્ગદર્શન અને યુવાનોની સમાજસેવાની ભાવનાના પરિણામે થઈ હતી. સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત અને સુવ્યવસ્થિત સંસ્થા ઉભી કરવાનો સંકલ્પ લઈને આ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી.
સ્થાપના બાદથી ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, સમૂહ શાદી, વિદ્યાર્થી સન્માન, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાય, મહિલા સશક્તિકરણ તેમજ સમાજના વિકાસ માટે વિવિધ સેવાકીય અને કલ્યાણકારી પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.
આજે હિંગોરા એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સમાજના દરેક વર્ગના વિકાસ માટે કાર્યરત રહીને એકતા, ભાઈચારો અને સમાજસેવાના મૂલ્યોને આગળ વધારી રહ્યું છે. સમાજના દરેક સભ્યના સહયોગ અને વિશ્વાસ સાથે ટ્રસ્ટ ભવિષ્યમાં પણ સમાજહિતના કાર્યો માટે સતત પ્રતિબદ્ધ રહેશે.
સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે સતત કાર્ય કરવું, જરૂરિયાતમંદોને સહાય પહોંચાડવી અને આવનારી પેઢીને શિક્ષણ તથા સંસ્કાર દ્વારા સશક્ત બનાવવી.
એક શિક્ષિત, સંગઠિત, આત્મનિર્ભર અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું, જ્યાં દરેક વ્યક્તિને વિકાસ અને સફળતાની સમાન તક પ્રાપ્ત થાય.
સમાજની સેવા, શિક્ષણનો પ્રચાર અને એકતાનો સંદેશ – એ જ અમારી ઓળખ છે.
હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત

